રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ, અત્યાર સુધી 1,639 લોકોના મોત
સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 […]
સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 539 કેસ નોંધાયા છે. જ્યારે 535 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 20 લોકોના આજે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,639 લોકોના મૃત્યુ નોંધાયા છે. ત્યારે જો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે શહેરમાં નવા 306 કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે સુરતમાં 103, વડોદરામાં 43, ભરૂચમાં 12, ગાંધીનગરમાં 8 અને ભાવનગરમાં 9 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો