ગુજરાતમાં સંવેદનશીલતાની માત્ર વાતો, અધિકારીઓ સરકારને ગાંઠતા જ નથી, દોષીતો સામે પગલાં ભરોઃપૂંજા વંશ
કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચાયો. રાજકોટમાં કોરોના સંક્રમિત એક દર્દીને, મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે ઊનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે, ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ન પુછ્યો હતો. તેની સાથેસાથે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ SVP હોસ્પિટલમાં, કોરોના સંક્રમીત ટીવી9ના પત્રકારને, સારવાર અર્થે દાખલ નહી કરવાનો મુદ્દો પણ […]
કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચાયો. રાજકોટમાં કોરોના સંક્રમિત એક દર્દીને, મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે ઊનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે, ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ન પુછ્યો હતો. તેની સાથેસાથે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ SVP હોસ્પિટલમાં, કોરોના સંક્રમીત ટીવી9ના પત્રકારને, સારવાર અર્થે દાખલ નહી કરવાનો મુદ્દો પણ રજુ કર્યો હતો. આ મુદ્દે કોઈ જવાબ આપવામાં ના આવ્યો હોવાનું ધારાસભ્યે પુંજા વંશે જણાવ્યું.
જો કે તેમણે એમ પણ કહ્યુ કે, સંવેદનશીલતાની વાતો કરવામાં આવે છે પણ અધિકારીઓ ગાઠતા નથી. આઠ આઠ કલાક પત્રકારને સારવાર અર્થે દાખલ થવા માટે હોસ્પિટલની બહાર ઊભા રહેવુ પડે તે ઘટના દુઃખદ કહેવાય. અમદાવાદના મેયર અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને દરમિયાનગીરી કરી હોવા છતા પત્રકારને સારવાર માટે દાખલ ના કરવામા આવે તે ઘટનાને અતિ ગંભીર ગણીને સમગ્ર બાબતની તપાસ કરવી જોઈએ. અને દોષીત અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય પુંજા વંશે કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો