અનલોક-03માં 10 વાગ્યાની છુટથી હોટલ એસોસિએશન નારાજ, 10ને બદલે 12 વાગ્યા સુધી છુટ આપવા મુખ્યપ્રધાનને કરાશે રજૂઆત
અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર […]
અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટનો નિભાવ ખર્ચ પણ એકઠો નથી થઈ રહ્યો. જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં વિકસેલ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાશે અને 60 ટકા જેટલી હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ જાય તેની સ્થિતિ છે. હોટલ એસોસિએશનના સભ્યો અનલોક-03માં વધુ છુટછાટ આપવા માટે મુખ્યપ્રધાનને મળીને રજૂઆત કરશે.