પાંચ વર્ષ બાદ ભુજનુ ઐતિહાસિક હમીરસર તળાવ છલકાશે
કચ્છમાં આ વર્ષે ચોમાસામાં પડેલા અતિભારે વરસાદને પગલે, ભુજનું હમીરસર તળાવ પાંચ વર્ષ બાદ છલકાશે. સતત પાણીની આવકના પગલે તળાવ છલકાવવામાંથી માત્ર અડધો ફુટ જ બાકી રહ્યું છે. ભુજમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવ છેલ્લે 2015માં છલકાયુ હતું. ત્યાર બાદ આ વર્ષે છલકાશે. ભુજની પરંપરા મુજબ હમીરસર તળાવ છલકાય ત્યારે નગરપાલિકાની પ્રમુખ સહીતના અન્ય મહાનુભાવો દ્વારા […]
કચ્છમાં આ વર્ષે ચોમાસામાં પડેલા અતિભારે વરસાદને પગલે, ભુજનું હમીરસર તળાવ પાંચ વર્ષ બાદ છલકાશે. સતત પાણીની આવકના પગલે તળાવ છલકાવવામાંથી માત્ર અડધો ફુટ જ બાકી રહ્યું છે. ભુજમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવ છેલ્લે 2015માં છલકાયુ હતું. ત્યાર બાદ આ વર્ષે છલકાશે. ભુજની પરંપરા મુજબ હમીરસર તળાવ છલકાય ત્યારે નગરપાલિકાની પ્રમુખ સહીતના અન્ય મહાનુભાવો દ્વારા તળાવમાં શ્રીફળ પધરાવીને પાણીને વધાવવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો