VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ
કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ […]
કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ ઓઝા વૈદ્યએ લખ્યું કે મોરારિ બાપુ સૌને સાથે લઈને ચાલે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેમણે એમ પણ લખ્યું કે મને તેમના વકીલ બનવામાં કે તેમનો બચાવ કરવામાં કોઈ રસ નથી. પરંતુ તેમણે જે માફી માગી છે તેને વંદન છે. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે કોઈને દુઃખ ન પહોંચે તે માટે માફી માગે તે જ સાચાં સાધું. સાંભળો તેમણે શું લખ્યું છે પોતાની ફેસબૂક પોસ્ટ પર.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો