સુરત: ચેકપોસ્ટ પર શિક્ષકોને ફરજ પર હાજર રહેવાનો આદેશ, પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો પરિપત્ર
શિક્ષકોની ફરજમાં વધુ એક વખત વધારો કરાયો છે. સુરતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ઓલપાડ તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 મળી કુલ 42 જેટલા શિક્ષકોને કોવિડ-19 અંતર્ગત ચેક પોસ્ટ પર ડ્યુટી કરવા આદેશ કરવામાં આવ્યો છે. સવારે 8થી બપોરે 2 વાગ્યા, બપોરે 2થી સાંજે 8 અને સાંજે 8થી 8 સુધી […]
શિક્ષકોની ફરજમાં વધુ એક વખત વધારો કરાયો છે. સુરતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ઓલપાડ તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 મળી કુલ 42 જેટલા શિક્ષકોને કોવિડ-19 અંતર્ગત ચેક પોસ્ટ પર ડ્યુટી કરવા આદેશ કરવામાં આવ્યો છે. સવારે 8થી બપોરે 2 વાગ્યા, બપોરે 2થી સાંજે 8 અને સાંજે 8થી 8 સુધી એમ ત્રણ પાળીમાં કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રનો શિક્ષકો વિરોધ કરી રહ્યાં છે. શિક્ષકો મહામારીમાં સરકારની પડખે છે પરંતુ ચેકપોસ્ટ પર ફરજ અશોભનીય હોવાનું નિવેદન જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આપ્યું છે. હાલમાં ઓલપાડ અને માંગરોળ તાલુકામાં 10થી વધુ શિક્ષકો કોરોનાગ્રસ્ત હોય જીવના જોખમે ફરજ નહીં બજાવવાનો શિક્ષકોએ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: આવા દેડકાઓ તમે ક્યારેય નહી જોયા હોય! જુઓ દેડકાઓનો વાયરલ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો