હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી, કિસાન સર્વોદય યોજનાનું વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન
હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી. જંગલી જાનવરોના ત્રાસથી પરેશાન ખેડૂતોની સમસ્યા હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા 17.25 લાખ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને આ તમામ ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળીનો લાભ મળશે. દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ઉદ્દઘાટન દ્વારા કિસાન સર્વોદય યોજનાનો જૂનાગઢથી પ્રારંભ કરાવી ખેડૂતોને સમર્પિત કરી. આ […]
હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી. જંગલી જાનવરોના ત્રાસથી પરેશાન ખેડૂતોની સમસ્યા હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા 17.25 લાખ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને આ તમામ ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળીનો લાભ મળશે.
દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ઉદ્દઘાટન દ્વારા કિસાન સર્વોદય યોજનાનો જૂનાગઢથી પ્રારંભ કરાવી ખેડૂતોને સમર્પિત કરી. આ યોજના હેઠળ ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી દિવસે વીજળી મળશે. હાલ દિવસે વીજળી માટે કુલ 153 જેટલા ગ્રુપ બનાવાયા છે.
પી.એમ મોદી દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ રાજ્યના 1055 ગામોના ખેડૂતોને કિસાન સર્વોદય યોજનાનો લાભ મળશે. જોકે જંગલી જાનવરોનો વધુ ત્રાસ હોવાથી જૂનાગઢ જિલ્લાના 220 ગામોને પ્રથમ લાભ આપવાનો નિર્ણય કરાયો છે. જ્યારે બીજા તબક્કામાં ગીરસોમનાથ જિલ્લાના 143 ગામો, દાહોદ જીલ્લાના 692 ગામોને લાભ મળશે તેમ ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.
જોકે દિવસે વીજળીનું નવું માળખું ઉભુ કરતા સરકારને 3 વર્ષનો સમય લાગી શકે છે. જેના માટે વર્ષ 2020-21ના બજેટમાં રાજ્ય સરકારે 3500 કરોડની જોગવાઇ કરી છે. અને આ રકમનો 3 વર્ષ દરમિયાન ઉપયોગ કરીને યોજનાનો તબક્કાવાર અમલ કરવાનું સરકારનું આયોજન છે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો