અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે
આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે. Web Stories View more દરરોજ બાઇક ચલાવવાને […]
આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કર્ફ્યૂગ્રસ્ત શહેરોની વાત કરીએ તો રાજકોટના કોરોનાગ્રસ્ત જંગલેશ્વર વિસ્તાર, સુરતના મહિધરપુરા, લાલગેટ, લિંબાયત, રાંદેર, અને અઠવા સહિત કુલ 5 વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે જ અમદાવાદના કોટ વિસ્તારમાં પણ કર્ફ્યૂ અમલી કરાયો હતો.
આ શહેરોના તમામ વિસ્તારોમાં કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવી લેવાયો છે. જો કે આ વિસ્તારોના નાગરિકોએ ક્વૉરન્ટાઈનનો કડક અમલ કરવો પડશે તેમ રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે. સાથે આ વિસ્તારના નાગરિકોએ લૉકડાઉનના નિયમોનું પણ કડકપણે પાલન કરવાનું રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો