મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની કરી શરૂઆત
લૉકડાઉન ભલે હળવું થયું હોય પરંતુ કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને એટલે જ ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની શરૂઆત કરી છે. 21થી 27 મે સુધી એટલે કે એક અઠવાડિયા સુધી આ અભિયાન ચાલશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે લૉકડાઉનમાં જીવન ખૂબ જ કપરું બની ગયું હતું અને હવે બે મહિના […]
લૉકડાઉન ભલે હળવું થયું હોય પરંતુ કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને એટલે જ ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘હું પણ કોરોના વૉરિયર’ અભિયાનની શરૂઆત કરી છે. 21થી 27 મે સુધી એટલે કે એક અઠવાડિયા સુધી આ અભિયાન ચાલશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે લૉકડાઉનમાં જીવન ખૂબ જ કપરું બની ગયું હતું અને હવે બે મહિના પછી નિયમોને આધિન છૂટ અપાઈ છે. તેમણે કહ્યું કે ઘરની અંદર હતા ત્યારે સુરક્ષિત હતા અને હવે જ્યારે ઘરની બહાર નીકળવાની છૂટ મળી ગઈ છે ત્યારે જવાબદારી પણ એટલી જ વધી ગઈ છે. સાથે જરૂર વિના બહાર ન નીકળવા પણ સૂચના આપી છે.
આ પણ વાંચો: દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો