લોકડાઉન-4 : જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ? CM રુપાણીએ કરી જાહેરાત
રાજ્યમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે માટે સીએમ વિજય રુપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સીએમ વિજય રુપાણીએ કહ્યું કે કોરોના વાઈરસને આપણે મ્હાત આપવાની છે. અત્યાર સુધીમાં લોકોએ લોકડાઉનમાં સહકાર આપ્યો. દરેક વ્યક્તિએ એકબીજાનો વિચાર કરીને સાથ આપ્યો. છેલ્લાં 54 દિવસ આપણે બધા એક થઈને કોરોના વાઈરસ સામે લડ્યા. અધિકારીઓ […]
રાજ્યમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે માટે સીએમ વિજય રુપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સીએમ વિજય રુપાણીએ કહ્યું કે કોરોના વાઈરસને આપણે મ્હાત આપવાની છે. અત્યાર સુધીમાં લોકોએ લોકડાઉનમાં સહકાર આપ્યો. દરેક વ્યક્તિએ એકબીજાનો વિચાર કરીને સાથ આપ્યો. છેલ્લાં 54 દિવસ આપણે બધા એક થઈને કોરોના વાઈરસ સામે લડ્યા. અધિકારીઓ અને કર્મચારીઓએ સારી કામગીરી કરી. ગુજરાત સરકારે અલગ અલગ ઝોન નક્કી કર્યા છે. દરેક ઝોનમાં અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે રેલવે ટિકિટોની કરાઈ કાળાબજારી, જુઓ વાયરલ VIDEO
વિજય રુપાણીએ કહ્યું કે કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આ ઝોનમાં સવારના 8થી બપોરના 3 વાગ્યાથી સુધી આવશ્યક ચીજ વસ્તુઓ રાબેતા મુજબ મળતી રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો ખોલવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અમદાવાદ અને સુરતમાં ઓટોરિક્ષા શરુ કરી શકાશે નહીં. પોઝિટિવ કેસ વધારે હોવાથી આ નિર્ણય લીધો છે તેવું સીએમ વિજય રુપાણીએ કહ્યું હતું. અમદાવાદ શહેરમાં એસટી બસની અવરજવર થઈ શકશે નહીં. જ્યાં કન્ટેન્મેન્ટ ઝોન નથી ત્યાં સમગ્ર ગુજરાતમાં એસટી સેવાને શરૂ કરવામાં આવશે. જીમ, સિનેમાઘર અને ધાર્મિક મેળાવડાઓ યોજી શકાશે નહીં. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓફિસ ખોલવાની છૂટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોવાથી આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. સુરતની બહાર ઓડઈવન ફોર્મ્યુલા સાથે ટેક્સટાઈલ માર્કેટને છૂટ આપવામાં આવી છે. માસ્ક નહીં પહેર્યું અને જાહેરમાં થૂંકવા પર 200-200 દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજ અને કોચિંગ કેસ બંધ રહેેશે. જ્યાં પણ છૂટ આપવામાં આવી છે ત્યાં પાંચથી વધારે ગ્રાહકો ના હોવા જોઈએ. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સલૂન ખોલી શકાશે. રાતના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. અમદાવાદ અને સુરત સિવાય રિક્ષા ચાલુ કરી શકાશે અને તેમાં 2 પેસેન્જરને બેસાડી શકાશે.