ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પ્રાચીનુ માધવરાય મંદિર 15 ફુટ પાણીમાં ડૂબ્યુ
ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉના અને કોડીનારમાં ભારે પવન સાથે બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોની નદી અને નાળા છલકાઈ ઉઠ્યા છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ ભગવાન માધવરાયના મંદિર 15 ફુટ પાણીમાં ડૂબી ગયુ છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો […]
ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉના અને કોડીનારમાં ભારે પવન સાથે બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોની નદી અને નાળા છલકાઈ ઉઠ્યા છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ ભગવાન માધવરાયના મંદિર 15 ફુટ પાણીમાં ડૂબી ગયુ છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો હવે વધુ દિવસ સતત વરસાદ વરસતો રહેશે તો ખેતીક્ષેત્રે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃનર્મદા ડેમની જળસપાટીમાં 31 સે.મી.નો વધારો, જળસપાટી પહોચી 120 મીટરે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો