ગરીબોની કસ્તૂરી થઇ મોંઘી, ડુંગળી-બટાટાના ભાવો આસમાને
ગરીબોની કસ્તૂરી ડુંગળી મોંઘી થતા લોકો પરેશાન થયા છે. ડુંગળીની આવક ઘટી જતા ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.વડોદરામાં પહેલા 8 રુપિયે કિલો મળતી ડુંગળી અત્યારે 70 થી 80 રુપિયા કિલો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. […]
ગરીબોની કસ્તૂરી ડુંગળી મોંઘી થતા લોકો પરેશાન થયા છે. ડુંગળીની આવક ઘટી જતા ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.અને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.વડોદરામાં પહેલા 8 રુપિયે કિલો મળતી ડુંગળી અત્યારે 70 થી 80 રુપિયા કિલો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે વરસાદના કારણે આવક ઘટી જતા ડુંગળીના ભાવ વધ્યા છે.અને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયું છે. ડુંગળી જ નહી પણ બટાટાના ભાવ વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને તકલીફ પડી રહી છે.