ગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત્
કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબા પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. અમદાવાદના ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહી થઈ શકે. આયોજનની મંજૂરી મળે તો પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે 80થી 90 […]
કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબા પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. અમદાવાદના ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહી થઈ શકે. આયોજનની મંજૂરી મળે તો પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે 80થી 90 જગ્યાએ રાસગરબાનું આયોજન થાય છે. ગયા વર્ષે દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી 65 આયોજકોએ ગરબાનું આયોજન કર્યુ હતું. જો સરકાર સોશિયલ ડિસ્ટન્સ સાથે મંજૂરી આપે તો પણ આયોજકોને નુકસાન થાય તેમ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો