રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. […]
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણીમાં વધુ લોકો એકઠા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સોસાયટી, શેરી અને મહોલ્લામાં જાહેરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભક્તો ઘરે શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી શકશે અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. ભક્તો કોઈ મેળાવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ કે ભોજન સમારંભનું આયોજન કરી શકશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો