ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે શિક્ષકો માટે રાહતના સમાચાર, સરકારે વિવાદિત પરિપત્ર હાલ પૂરતો કર્યો સ્થગિત
ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હજારો શિક્ષકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે 2800ના ગ્રેડ પે વાળો 25 જૂન, 2019નો ઠરાવ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે અને જ્યાં સુધી કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી 4200નો ગ્રેડ પે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હજારો પ્રાથમિક શિક્ષકોને પગારમાં જઈ રહેલું નુક્સાન નહીં થાય. સરકારે […]
ગ્રેડ પે મુદ્દે લડત ચલાવતા હજારો શિક્ષકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે 2800ના ગ્રેડ પે વાળો 25 જૂન, 2019નો ઠરાવ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે અને જ્યાં સુધી કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી 4200નો ગ્રેડ પે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી હજારો પ્રાથમિક શિક્ષકોને પગારમાં જઈ રહેલું નુક્સાન નહીં થાય. સરકારે 4200નો ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેતા શિક્ષકોને વર્ષે 1 લાખ રૂપિયા સુધીનું નુક્સાન થતું હતું. જેને પગલે શિક્ષકો લાંબા સમયથી 4200ના ગ્રેડ પે માટે લડત ચલાવી રહ્યા હતા. TV9એ પણ શિક્ષકોના મુદ્દાને વાચા આપી હતી અને અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ આખરે સરકારે આ મુદ્દાને ધ્યાનમાં લઈ શિક્ષકોને રાહતના સમાચાર આપ્યા છે અને શિક્ષકોને પગારમાં કોઈ નુક્સાન નહીં જાય તેવી ખાતરી આપી છે.
આ પણ વાંચો: સંઘ અંબાજી પહોંચશે કે નહીં? ભાદરવી પૂનમના મેળા અંગે સરકાર ચોકકસ નિર્ણય નહીં લેતાં ભક્તો ચિંતામાં
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો