અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન
સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે. અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન […]
સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે.
અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાના છે. આમ તો 18 વર્ષ પછી કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે છે પણ સંતોષ નેનવાણી 38 વર્ષ પછી પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે અને તેનું કારણ છે ભારતીય નાગરિકતા.
તાજેતરમાં જ સંતોષ નેનવાણીને ભારતીય નાગરિક્તા મળી છે. જેને લઈને હવે તે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે. વર્ષ 2005માં સંતોષ નેનવાણી પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારતમાં આવી ગયા હતા. છેલ્લા 19 વર્ષથી ભારતમાં રહેવા છતાં તેમની પાસે ભારતીય નાગરિત્વ ન હોવાના કારણે સંતોષ નેનવાણી ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકતા નહોતા.
પાકિસ્તાનમાં હિન્દુ અને અલ્પસંખ્યકોને કરવામાં આવતી હેરાનગતિ અને તેમના પર ગુજારવામાં આવતા ત્રાસના સાક્ષી સંતોષ નેનવાણી છે. હિન્દુઓ સાથે કરવામાં આવતી મારમારી, લૂંટફાટ અને બહેન દિકરીઓને થતી હેરાનગતિથી કંટાળેલા સંતોષ નેનવાણી અને તેમના પરિવારે પાકિસ્તાનનું નાગરિત્વ છોડવાનું નક્કી કરી લીધુ હતુ.
પરંતુ સંતોષ નેનવાણીના પિતા બેંક ઓફ પાકિસ્તાનમાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરતા હોવાના કારણે તેમના પિતાને ભારતના વિઝા નહોતા મળતા. આ જ કારણથી વર્ષ 2005માં સંતોષ નેનવાણી અને તેમના માતા પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારત આવીને વસ્યા હતા. 10 વર્ષ સુધી રેફ્યુઝી તરીકે ગુજરાતમાં રહ્યા પછી વર્ષ 2015માં સંતોષ નેનવાણીએ ભારતીય નાગરિત્વ મેળવવા માટે અરજી કરી અને આખરે વર્ષ 2018માં તેમને ભારતીય નાગરિત્વ મળી ગયુ.
તાજેતરમાં જ અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા 81 નાગરિકો જે સિંધ પ્રાંત પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદમાં વસ્યા છે. તેમને ભારતનું નાગરિત્વ આપવામાં આવ્યું છે. તેમાંના એક છે સંતોષ નેનવાણી. જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચારથી કંટાળીને પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. આજે ભારતનું નાગરિત્વ મળી જતા તે ખુશ છે અને પહેલી વાર વોટ કરતા તે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]