અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે. અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન […]

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન
સંતોષ નેનવાણી પાકિસ્તાનમાં
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Mar 31, 2019 | 10:54 AM

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે.

અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38 વર્ષ છે પણ તેમને આજ સુધી ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી. સંતોષ નેનવાણી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાના છે. આમ તો 18 વર્ષ પછી કોઈપણ વ્યક્તિ મતદાન કરી શકે છે પણ સંતોષ નેનવાણી 38 વર્ષ પછી પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે અને તેનું કારણ છે ભારતીય નાગરિકતા.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાજેતરમાં જ સંતોષ નેનવાણીને ભારતીય નાગરિક્તા મળી છે. જેને લઈને હવે તે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકશે. વર્ષ 2005માં સંતોષ નેનવાણી પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારતમાં આવી ગયા હતા. છેલ્લા 19 વર્ષથી ભારતમાં રહેવા છતાં તેમની પાસે ભારતીય નાગરિત્વ ન હોવાના કારણે સંતોષ નેનવાણી ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન કરી શકતા નહોતા.

પાકિસ્તાનમાં હિન્દુ અને અલ્પસંખ્યકોને કરવામાં આવતી હેરાનગતિ અને તેમના પર ગુજારવામાં આવતા ત્રાસના સાક્ષી સંતોષ નેનવાણી છે. હિન્દુઓ સાથે કરવામાં આવતી મારમારી, લૂંટફાટ અને બહેન દિકરીઓને થતી હેરાનગતિથી કંટાળેલા સંતોષ નેનવાણી અને તેમના પરિવારે પાકિસ્તાનનું નાગરિત્વ છોડવાનું નક્કી કરી લીધુ હતુ.

પરંતુ સંતોષ નેનવાણીના પિતા બેંક ઓફ પાકિસ્તાનમાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરતા હોવાના કારણે તેમના પિતાને ભારતના વિઝા નહોતા મળતા. આ જ કારણથી વર્ષ 2005માં સંતોષ નેનવાણી અને તેમના માતા પાકિસ્તાનનું નાગરિત્વ છોડીને ભારત આવીને વસ્યા હતા. 10 વર્ષ સુધી રેફ્યુઝી તરીકે ગુજરાતમાં રહ્યા પછી વર્ષ 2015માં સંતોષ નેનવાણીએ ભારતીય નાગરિત્વ મેળવવા માટે અરજી કરી અને આખરે વર્ષ 2018માં તેમને ભારતીય નાગરિત્વ મળી ગયુ.

તાજેતરમાં જ અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા 81 નાગરિકો જે સિંધ પ્રાંત પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદમાં વસ્યા છે. તેમને ભારતનું નાગરિત્વ આપવામાં આવ્યું છે. તેમાંના એક છે સંતોષ નેનવાણી. જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચારથી કંટાળીને પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. આજે ભારતનું નાગરિત્વ મળી જતા તે ખુશ છે અને પહેલી વાર વોટ કરતા તે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">