કરફ્યુની જાહેરાત બાદ, લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વિના જ ખરીદી કરવા ઉમટ્યા, પૂર્વ અમદાવાદના ખોડીયારનગરના જુઓ આ દ્રશ્યો
સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે લોકોની જામેલી ભીડને કારણે જ અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. આ બાબત સારી રીતે જાણતા હોવા છતા, હજુ પણ શહેરીજનો ખરીદી કરવામાં જરાય પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. અમદાવાદમાં બે દિવસના કરફ્યુની જાહેરાત થતા જ, આજે સવારથી વિવિધ વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લોકોની ભીડ એકઠી થઈ રહી છે. અમદાવાદના પૂર્વ […]
સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે લોકોની જામેલી ભીડને કારણે જ અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. આ બાબત સારી રીતે જાણતા હોવા છતા, હજુ પણ શહેરીજનો ખરીદી કરવામાં જરાય પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. અમદાવાદમાં બે દિવસના કરફ્યુની જાહેરાત થતા જ, આજે સવારથી વિવિધ વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લોકોની ભીડ એકઠી થઈ રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર શાકમાર્કેટમાં તો કોરોનાનો રોગચાળો સંપૂર્ણ નાબુદ થયો હોય તે રીતે લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. કેટલાક ટોળે વળીને વાતો કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો