સુરતની 44 હોસ્પિટલમાં ફાયર ઓડીટ કરી મ્યુ. કમિશનરને અપાશે રિપોર્ટ, ફાયર સેફટી નહી હોય તે હોસ્પિટલને ફટકારાશે નોટીસ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન કોરોનાની મહામારીને નાથવા માટે કુલ 44 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યાં છે. આ તમામ હોસ્પિટલમાં 24 કલાકમાં ફાયર ઓડીટ કરીને તેનો રિપોર્ટ મ્યુ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવશે. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તેવી હોસ્પિટલને નોટીસ […]
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના તણખા રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં ઉડ્યા છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન કોરોનાની મહામારીને નાથવા માટે કુલ 44 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યાં છે. આ તમામ હોસ્પિટલમાં 24 કલાકમાં ફાયર ઓડીટ કરીને તેનો રિપોર્ટ મ્યુ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવશે. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તેવી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવશે. અને નિયત સમય મર્યાદામાં જો ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરાય તો તેને સીલ કરી દેવાશે.