પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રિએસેસમેન્ટ દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. MSc. સેમેસ્ટર 3ના ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા હતા. જેને રિએસેસમેન્ટ દરમિયાન પાસ કરવામાં આવ્યા. શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક છે કે રૂપિયા લઇને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે. આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો […]
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રિએસેસમેન્ટ દરમિયાન નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. MSc. સેમેસ્ટર 3ના ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા હતા. જેને રિએસેસમેન્ટ દરમિયાન પાસ કરવામાં આવ્યા. શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક છે કે રૂપિયા લઇને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને રીએસેમેન્ટની કામગીરી દરમિયાન આ ઘટના ધ્યાને આવી અને કર્મચારીએ રીએસેમેન્ટની ગેરરીતીની જાણ પરીક્ષા નિયામક અને કુલપતિને જાણ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૌથી મોટી ગંભીર બાબત તો એ છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરવા માટે વિદ્યાર્થીની સાચી ઉત્તરવહી જ બદલી નાખીને બનાવટી ઉત્તરવહી રજૂ કરીને પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું. આ રીતે પાસ કરાતા યુનિ.ના વહીવટી સત્તાધીશો પણ શંકાના દાયરામાં આવ્યા છે, એટલું જ નહીં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવા રૂપિયાની લેવડ દેવડ તેમજ રાજકીય વગ થકી કૌભાંડ ચાલતું હોવાની ગંધ આવી રહી છે. જો કે કુલપતિએ તટસ્થ તપાસ થશે તેવી હાલ તો ખાતરી આપી છે.
[yop_poll id=”1″]