અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે […]

અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:39 AM

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીલગીરી એવરગ્રીન વૃક્ષ છે. તે મૂળ ઓસ્ટ્રેલિયન વૃક્ષ છે. તેના પાંદડા શરદી, ખાંસીને ઓછું કરે છે. ગળામાં ખારાશ, સાઈનસાઈટીસ અને બ્રોનકાઈટીસ જેવી સમસ્યાઓને દૂર કરવા નીલગીરી ફાયદાકારક છે. કફનો નાશ કરવા માટે શ્રેષ્ઠ છે. નિલગીરીના તેલનો ઉપયોગ ખાંસીની દવાઓમાં કરવામાં આવે છે.

  

યુકેલિપ્ટસની ચા પણ બનાવી શકાય છે :

નિલગીરીના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે હર્બલ ચા બનાવવા માટે કરવામાં આવે છે. જો તમે નિયમિત રીતે નિલગીરીના પાંદડાથી બનેલી ચા પીશો તો તમને શ્વાસ અને અન્ય સંક્રમણથી બચી શકો છો. તેની ચા બનાવવા માટે તમે નિલગીરીના પાનને સારી રીતે ધોઈ લો અને પછી તેને પાણીમાં સારી રીતે ગરમ કરો. ત્યારપછી આ હૂંફાળા પાણીનું સેવન કરો.

જો ગળામાં કફ થયો હોય તો આ જ પાણીથી તમે કોગળા પણ કરી શકો છો. કોગળા કરવાથી બંધ નાક અને શરદીની તકલીફ દૂર થઈ જશે.

નિલગીરીના પાનના બીજા ફાયદાઓ : 1). દાંતને સ્વસ્થ રાખવામાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે માઉથવોશ તરીકે કરી શકો છો. દાંતોમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. 2). ફંગલ ઇન્ફેક્શન અને ઇજાને દૂર કરવામાં પણ તે મદદ કરે છે. 3). માંસપેશીઓ અને હાડકાના દુઃખાવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">