રાજ્યમાં કોરોનાનો ડબલિંગ રેટ વધ્યો હોવાનો સરકારનો દાવો, આ દાવામાં કેટલો દમ તે મોટો સવાલ
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. કેસો વધવામાં અને મૃત્યુદરમાં કોઈ ઘટાડો થયો નથી. તેમ છતાં સરકારનો દાવો છે કે કોરોનાનો ડબલિંગ રેટ ઘટી ગયો છે. જે ડબલિંગ રેટ અગાઉ 16 દિવસ હતો, એટલે કે 16 દિવસે કેસની સંખ્યા ડબલ થતી હતી તે રેટ હવે 25 દિવસનો થયો છે. જો કે હકીકત તો એ છે કે, […]
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. કેસો વધવામાં અને મૃત્યુદરમાં કોઈ ઘટાડો થયો નથી. તેમ છતાં સરકારનો દાવો છે કે કોરોનાનો ડબલિંગ રેટ ઘટી ગયો છે. જે ડબલિંગ રેટ અગાઉ 16 દિવસ હતો, એટલે કે 16 દિવસે કેસની સંખ્યા ડબલ થતી હતી તે રેટ હવે 25 દિવસનો થયો છે. જો કે હકીકત તો એ છે કે, રાજ્યમાં જ્યારે પહેલાની જેમ ટેસ્ટ થતા જ નથી તો પછી આ કેવી સફળતા કહેવાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટાડવામાં આવ્યું છે. તે ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે પણ નિયંત્રિત કરી દેવાયું છે. એટલે કે ટેસ્ટ થાય જ નહીં તો ડબલિંગ રેટ વધે તે સ્વભાવિક છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. જેની સામે ગુજરાતમાં 1.93 લાખ ટેસ્ટ જ કરાયા છે. જેમાં 15 હજારથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો