સામાન્ય ખાંસી ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં કરી લો આ ઘરગથ્થુ ઉપચાર
બદલાતા મોસમ અને ખાણીપીણીનાં કારણે કોઈને પણ ખાંસીની સમસ્યા થઈ શકે છે. જોકે ખાંસીની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે પણ સમયસર તેનો ઈલાજ ન કરાવીએ તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે. અને એટલા માટે જ જો જરા સરખી પણ સામાન્ય ખાંસી આવે તો તેનો ઈલાજ તાત્કાલિક કરી લેવો જોઈએ. ખાંસીના કારણો : […]
બદલાતા મોસમ અને ખાણીપીણીનાં કારણે કોઈને પણ ખાંસીની સમસ્યા થઈ શકે છે. જોકે ખાંસીની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે પણ સમયસર તેનો ઈલાજ ન કરાવીએ તો તે ગંભીર રૂપ પણ લઈ શકે છે. અને એટલા માટે જ જો જરા સરખી પણ સામાન્ય ખાંસી આવે તો તેનો ઈલાજ તાત્કાલિક કરી લેવો જોઈએ.
ખાંસીના કારણો : એલર્જી, ટ્યુબરક્યુલોસીસ, ધૂળ માટી કે પ્રદુષણ, અસ્થમા, ન્યુમોનિયા, ટોન્સિલ, ધુમ્રપાન, ઠંડી વસ્તુનું સેવન.
સામાન્ય લક્ષણો : ગળામાં ખારાશ થવી, ગળામાં દુઃખવું, તાવ આવવો, માથામાં દુઃખાવો, થાક લાગવો, છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, નાક બંધ થવું, ઉલટી આવવી, ખાવાની ઈચ્છા ન થવી.
ઘરગથ્થુ ઈલાજ : 1). બે ચમચી મધમાં એક ચમચી લીંબુ કે આદુનો રસ ભેળવીને દિવસમાં બે ત્રણ વાર પીવાથી રાહત મળે છે.
2). પાણીમાં ત્રણ ચમચી આદુના નાના ટુકડા અને એક ચમચી સૂકો પુદીનો નાંખીને ઉકાળો, પછી તેમાં મધ નાંખીને મિશ્રણ કરો. તેને રોજ એક ચમચી પીવાથી રાહત મળે છે.
3). એક કપ ગરમ પાણીમાં એક ચમચી કાળી મરી પાઉડર અને બે ચમચી મધ ભેળવો અને તેને રોજ એક કે બે વાર પીઓ.
4). દૂધમાં હલદી પાઉડર ભેળવીને દિવસમાં અથવા રાત્રે તેનું સેવન કરો.
5). ગોળમાં અડધા કાંદાના નાના ટુકડા મિક્ષ કરીને ખાવાથી રાહત મળે છે.
–આ ઉપરાંત મીઠાના પાણીના કોગળા કરી શકાય છે. –વરાળ લઈ શકાય છે.
આ પણ વાંચોઃ“O” બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ તરફ મચ્છર ચુંબકની જેમ આકર્ષાય છે, જાણો કેમ ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો