મોટી થતી દિકરીને મહિનાના ‘એ’ દિવસોની જાણકારી આપતા ખચકાશો નહી

એક એવો સમય આવે છે, જયારે એક માતાએ તેની દીકરી સાથે બેસીને, પીરિયડ્સ અંગે વાત કરવી જરૂરી બની જાય છે. કારણ કે આ ઉંમરમાં દીકરી, બાળપણથી કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે. કોઈપણ કિશોરીના જીવનમાં પિરિયડ્સની શરૂઆત, એક મોટી વાત હોય છે, અને એટલા માટે જ જરૂરી છે કે તમારી દીકરીને તેની જાણકારી પહેલાથી હોય. દીકરીને એ […]

મોટી થતી દિકરીને મહિનાના 'એ' દિવસોની જાણકારી આપતા ખચકાશો નહી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:22 PM

એક એવો સમય આવે છે, જયારે એક માતાએ તેની દીકરી સાથે બેસીને, પીરિયડ્સ અંગે વાત કરવી જરૂરી બની જાય છે. કારણ કે આ ઉંમરમાં દીકરી, બાળપણથી કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે. કોઈપણ કિશોરીના જીવનમાં પિરિયડ્સની શરૂઆત, એક મોટી વાત હોય છે, અને એટલા માટે જ જરૂરી છે કે તમારી દીકરીને તેની જાણકારી પહેલાથી હોય.

દીકરીને એ વાતની જાણકારી જરૂરથી આપો કે હવે તે એક યુવતી અને મહિલા બનવા જઈ રહી છે. માસિકસ્ત્રાવ એક સામાન્ય પ્રક્રિયા છે જેમાં યુટીરસમાંથી રક્ત નીકળે છે. જેને પીરિયડ્સ કહેવાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

છોકરીઓને 10 થી 13 વર્ષની ઉંમરમાં પિરિયડ્સની શરૂઆત થાય છે. કેટલીક છોકરીઓને તે 16 વર્ષ સુધી પણ લંબાય છે. પહેલા પિરિયડનો અર્થ એ થાય છે કે હવે શરીર પ્રેગ્નન્સી માટે તૈયાર થઈ રહ્યું છે પણ પ્રેગ્નન્સી માટે જરૂરી બીજ આ દરમ્યાન બનતા નથી.

એક માસિક સ્રાવની સાઇકલ સામાન્ય રીતે 28 દિવસોની હોય છે. પણ તે 21 થી 45 દિવસની વચ્ચે પણ હોઈ શકે છે. શરૂઆતમાં કેટલાક વર્ષોમાં તે અનિયમિત હોય છે. પછી તે રેગ્યુલર થઈ જાય છે.

પીરિયડ્સ દરમ્યાન એક સ્ત્રીના શરીરમાંથી 1 થી 10 ચમચી રક્ત વહી જાય છે. આ દરમ્યાન સોજો, કમરદર્દ, જકડાવ, પેટમાં દુઃખાવો જેવી સમસ્યા સામાન્ય હોય છે. એક યુવતીના શરીરમાં આખી ઉંમર બીજ બને છે. એક છોકરીનું ભ્રૂણ તેની માતાના ગર્ભમાં હોય છે ત્યારે પણ તેના શરીરમાં 7 મિલિયન બીજ હોય છે. અને જન્મ પછી તે બે ગણા થઈ જાય છે. બીજના બહાર આવવાને ઓવ્યુલેશન કહેવાય છે. તે ઓવેરીમાંથી ફેલોપિયન ટ્યુબમાં જાય છે.

માસિકસ્ત્રાવ દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી વાતો :

1).માસિક ધર્મ દરમિયાન સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

2).માસિક ધર્મ દરમિયાન કોઈ સારા સેનેટરી પેડનો ઉપયોગ કરો અને તેને શરૂઆતના દિવસોમાં 3 થી 4 વાર બદલો.

3).રક્ત સ્ત્રાવને રોકવા માટે ભીના કપડાનો ઉપયોગ ન કરો. તેનાથી ઈંફેક્શનનો ખતરો રહે છે.

4).આ દિવસોમાં રોજ શક્ય હોય તો બે વાર સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો.

5).આ દરમિયાન તમારે દુઃખાવો ઓછો કરવા એક્સરસાઈઝ કરવી જોઈએ. તેનાથી મસલ્સમાં ઓક્સીજનની પૂર્તિ વધે છે અને શરીરને આરામ મળે છે.

6).આ દિવસે લોહીનો સ્ત્રાવ થાય છે તેનો મતલબ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. તમે તમારા રોજના નાના-નાના કામ તો કરી શકો છો.

7).કેટલાક લોકો એવુ માને છે કે આ દરમિયાન ન્હાવુ ન જોઈએ કે વાળ ન ધોવા જોઈએ. કારણ કે તેનાથી લોહીનો સ્ત્રાવ ધીમો થઈ શકે છે. પણ આ એક ગેરમાન્યતા છે.

આ પણ વાંચોઃબાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">