દિવાળી ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો, મોંઘવારીનો કોઇ ઉકેલ છે ?
તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની […]
તહેવારોમાં જ્યાં તેલનો વપરાશ વધુ હોય, તે જ સમયે તેલના ભાવ વધી ગયા છે. ડબ્બાનો ભાવ વધી રહ્યો છે. જેની સીધી અસર ફરસાણના વેપારીઓ અને ગૃહિણીઓને પડી રહી છે. ફરસાણના ભાવમાં પણ પ્રતિકિલો રૂપિયા 20નો વધારો કરાયો છે. તો બીજી તરફ તહેવારોમાં જ્યાં તેલની વધુ જરૂર હોય ત્યારે ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. લૉકડાઉનને કારણે મધ્યમવર્ગની આવકમાં મર્યાદા બંધાઈ છે. ત્યારે આ મોંઘવારી દિવાળીની રોનક ઝાંખી પાડે તેમ લાગી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો