‘વાયુ’ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે
વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને […]
વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને માઈક મારફતે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કુલ 23 જેટલાં ગામોમાં તંત્રની ટુકડીઓ તપાસ કરી રહી છે. અને ગ્રામજનોને નજીકની શાળાઓમાં ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં કાચા મકાનો છે. ત્યાના લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કવાયત પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો