શક્તિ પીઠ અંબાજી મંદિર આ દિવસો દરમિયાન રહેશે બંધ, ભાદરવી પૂનમની પદયાત્રા પર પણ પ્રતિબંધ
કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો […]
કોરોના મહામારી વચ્ચે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. સાથે જ તારીખ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી પવિત્ર શક્તિ પીઠ અંબાજી મંદિર બંધ રહેશે. સાથે જ ભાદરવી પૂનમે પદયાત્રા અને કેમ્પ લગાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. શ્રદ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય અને મહામારી વચ્ચે ભક્તોની ભીડ ન જામે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જોકે ભાદરવી પૂનમના દિવસે માઇ ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે લાઇવ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મહામારીથી મા અંબા મુક્તિ અપાવે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ હેતુથી અંબાજી ખાતે મહાયજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞ તારીખ 28મી ઓગસ્ટથી શરૂ થશે અને 2જી સપ્ટેમ્બરના રોજ પૂર્ણાહૂતિ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો