રાજ્યભરના તમામ શહેરોમાં દશેરાના પર્વની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન
રાજ્યભરમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 માથાના રાવણનું આજે દહન કરવામાં આવશે. જેના માટે રાજ્યના તમામ શહેરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરમાં મળવા […]
રાજ્યભરમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 માથાના રાવણનું આજે દહન કરવામાં આવશે. જેના માટે રાજ્યના તમામ શહેરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરમાં મળવા જઈ રહી છે આ મોટી છુટ, રાજ્યપાલે આપ્યા આદેશ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રામાયણના પાત્રો ભજવીને તેની ઉજવણી કરાતી હોય છે. જે બાદ રાવણ દહન કરવામાં આવતું હોય છે. જેમાં મેઘનાથ, કુંભકર્ણ અને રાવણ જેવા અસૂરોનો નાશ કરાતો હોય છે. ફટાકડા અને ભારે આતશબાજી સાથે આ ત્રણેય દાનવોનું દહન કરવામાં આવશે. રાજ્યના મુખ્ય શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમ માટે આ ત્રણેય અસુરોના પુતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે. અને સાંજના સમયે રામલીલા બાદ અસત્ય સામે સત્યનો વિજયોત્સવ મનાવામાં આવશે. જેમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો