કોરોના મહામારીમાં 5 મહિના બાદ ખુલશે અમદાવાદની ક્લબો, જાણો કયા નિયમોનું કરવું પડશે પાલન?
કોરોના મહામારીમાં 5 મહિના બાદ અમદાવાદની ક્લબો ખુલશે. અમદાવાદની કર્ણાવતી અને રાજપથ સહિતની ક્લબ આગામી અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. જો કે કોરોનાના વધતા સંક્રમણને લઈ સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ક્લબમાં માત્ર સભ્યોને જ પ્રવેશ મળશે. 10 વર્ષથી નીચેના બાળક અને 65 વર્ષથી વધુના સિનિયર સિટિઝનને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત ક્લબમાં જીમ, […]
કોરોના મહામારીમાં 5 મહિના બાદ અમદાવાદની ક્લબો ખુલશે. અમદાવાદની કર્ણાવતી અને રાજપથ સહિતની ક્લબ આગામી અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. જો કે કોરોનાના વધતા સંક્રમણને લઈ સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ક્લબમાં માત્ર સભ્યોને જ પ્રવેશ મળશે. 10 વર્ષથી નીચેના બાળક અને 65 વર્ષથી વધુના સિનિયર સિટિઝનને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત ક્લબમાં જીમ, બેડમિન્ટન, વોકિંગ ટ્રેક, વોલીબોલ, ટેનિસ અને ટેબલ-ટેનિસની એક્ટિવિટી શરૂ થશે. ફૂડ કોર્ટ 30 ટકા ક્ષમતા સાથે જ ખુલશે. કલબને રોજ ચાર કલાક બંધ રાખીને સેનેટાઈઝ કરવામાં આવશે. જીમ માટે સભ્યોએ અગાઉથી સમય બુક કરાવવાનો રહેશે. વોકિંગ ટ્રેક પર 100 લોકોને જ પ્રવેશ મળશે. અમદાવાદની ક્લબોમાં તબક્કાવાર અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: IPL 2020નું ટાઈટલ સ્પોન્સર બન્યું ડ્રીમ-11, 222 કરોડ રૂપિયામાં ખરીદ્યા રાઈટ્સ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો