ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ […]

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:10 PM

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ સર્વે દરમ્યાન નેત્રંગના મોતિયા અને કાકરપાડા વિસ્તારમાં બે સુંદર ધોધ શોધ્યા છે. હાલમાં આ વિસ્તાર સુધી પહોંચવું દુર્ગમ છે. પરંતુ ધોધ અને હરિયાળીની ચાદર તળે છવાયેલા વિસ્તારની સુંદરતા ધ્યાનાકર્ષક છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કિમાવતી ધોધ

મોતિયા વિસ્તારમાં આવેલ ધોધ કિમાવતી ધોધ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ ધોધ કિમ નદીનું ઉદગમસ્થાન છે. જે 3 લેવલમાં વહેંચાયેલો છે. જેની કુલ ઊંચાઈ 35 મીટર જેટલી માનવામાં આવે છે. લીલાછમ જંગલમાંથી વહેતુ પાણી ધ્યાન ખેંચે છે. કિમાવતી ધોધ સુધી પહોંચવા હાલમાં વનવિસ્તારમાં મુશ્કેલ રસ્તા ઉપરથી નેત્રંગથી ચાસવડ ગામમાંથી મોતિયા પહોંચી શકાય છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કાકરપાડા ધોધ

કાકરપાડા ધોધમાં કરજણ નદીનું પાણી પડે છે. આ ધોધમાં બે જગ્યાએ પાણી પટકાઈ જમીન ઉપર પડે છે. જેના કારણે પાણીના ઉડતા છાંટાની ભીંજાશ આનંદનો અહેસાસ કરાવે છે. આ ધોધ સુધી પહોંચવા નેત્રંગના મોવી રોડથી કોચબર થઈ ડેબાર ગામ પહોંચી કાકરપાડા ધોધ સુધી પહોંચી શકાય છે. આ ધોધ સુધી પહોંચવા 4 કિમીનો માર્ગ ખુબ મુશ્કેલ છે. નેત્રંગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાઝ ઘાંચીએ જણાવ્યું હતું કે આ બંને ધોધ સીઝનલ છે. જે ચોમાસામાં સક્રિય થઈ શિયાળા સુધી જોવા મળે છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બંને ધોધ અંગેના અહેવાલ તૈયાર કરી દિલ્લી વન અને પર્યાવરણ મંત્રાલયમાં મોકલાયા છે. આ બંને ધોધ વિસ્તારની નવી ઓળખ ઉભી કરે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કિમાવતી અને કાકરપાડા ધોધ ખુબ ઊંચા તો નથી પરંતુ પ્રકૃતિની નિશ્રામાં વહેતા હોવાથી માત્ર ધોધ નહીં. પરંતુ ધોધ સુધીના માર્ગનું કુદરતી સૌંદર્ય ચોક્કસ ધ્યાન ખેંચે છે. ત્યારે નેત્રંગ વનવિસ્તારમાં બંને ધોધ ટુરિઝમ સાઈટ તરીકે ડેવલોપ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">