બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું , પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા, ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં, 154 ગૌશાળાઓનું 1 લાખથી વધુ પશુધન ભુખમરાથી બેહાલ

બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને જિલ્લાના તમામ પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા છે, જોકે ક્યાંક પોલીસે પશુઓ અટકાવતા મામલો ગરમાયો હતો પરંતુ ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવી ગયા છે અને જ્યાં સુધી પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા અને સહાય નહીં મળે ત્યાં સુધી […]

બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું , પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા, ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં, 154 ગૌશાળાઓનું 1 લાખથી વધુ પશુધન ભુખમરાથી બેહાલ
https://tv9gujarati.in/banaskantha-ma-a…abol-pashu-behal/ ‎
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:57 PM

બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને જિલ્લાના તમામ પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા છે, જોકે ક્યાંક પોલીસે પશુઓ અટકાવતા મામલો ગરમાયો હતો પરંતુ ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવી ગયા છે અને જ્યાં સુધી પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા અને સહાય નહીં મળે ત્યાં સુધી તેઓ પશુને રસ્તે રઝળતું મુકશે. પશુપાલકોએ અગાઉ સરકાર સમક્ષ અનેક રજૂઆતો અને ફરિયાદો કરી હતી પરંતુ સરકારે નમતું ન જોખતા આખરે ગૌશાળા સંચાલકોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવીને સરકાર સામે લડી લેવાની તૈયારીઓ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળાઓ આવેલી છે જ્યાં 1 લાખથી વધુ પશુધન ભુખમરાનો સામનો કરી રહ્યું છે. કોરોના કાળમાં દાન-ધર્માદો બંધ થતા સંચાલકો પણ કફોડી હાલતમાં મુકાયા છે ત્યારે સંવેદનશીલ સરકાર અબોલ પ્રત્યે લાગણી દર્શાવે તે જરૂરી બન્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">