ઉમરેઠના ધારાસભ્યની નારાજગી આખરે દુર, હવે ગોવિંદ પરમાર રાજીનામું નહીં આપે
ભારે વિવાદ બાદ આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી આખરે દૂર થઈ છે. મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠક બાદ ગોવિંદ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે નારાજગી દૂર થઈ હોવાનું જણાવી હવે રાજીનામું નહી આપે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા માટે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક નેતાઓએ ભરપૂર પ્રયાસ […]
ભારે વિવાદ બાદ આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી આખરે દૂર થઈ છે. મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠક બાદ ગોવિંદ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે નારાજગી દૂર થઈ હોવાનું જણાવી હવે રાજીનામું નહી આપે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા માટે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક નેતાઓએ ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેવું તેમણે જણાવ્યું હતું અને જ્ઞાતિવાદનો આરોપ લગાવી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે દડંક પંકજ દેસાઈની મધ્યસ્થી બાદ આખરે વિવાદ થાળે પડ્યો હતો. ગોવિંદ પરમારે વધુમાં જણાવ્યું કે, તેમની નારાજગી માત્ર જિલ્લા સ્તરે હતી. મંત્રીમંડળ કે મુખ્યપ્રધાન સાથે નહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો