અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. […]

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે
https://tv9gujarati.in/amdabad-jamalpur…-j-khulli-rehshe/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:02 PM

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. કુલ 157માંથી પહેલા દિવસે 53 વેપારીઓ, બીજા દિવસે અન્ય 53 વેપારીઓ અને ત્રીજા દિવસે બાકીના 51 વેપારીઓ દુકાનો ખોલીને વેપાર કરી શકશે. એટલે કે ત્રીજા દિવસે નંબર આવશે. માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કામગીરી કરવાની રહેશે તેમજ દુકાનમાં આવનાર ગ્રાહક પાસે પણ તેનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડમાં શાકભાજીની ખરીદી બપોરે 1 થી 5 અને રાતના 8 થી સવારના 8 દરમ્યાન થઈ શકશે. સવારે 8 થી 1 અને સાંજે 5 થી 8ના પીકઅવર્સ દરમ્યાન વાહનવ્યવહાર વધી જતો હોવાથી ભીડની આશંકાના કારણે વેપાર કરી શકાશે નહીં.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">