બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ગાંધીનગરમાં રાજ્યભરના યુવાનોનો વિરોધ યથાવત્
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વિરોધ અને રાજ્યભરના યુવાનોનો આક્રોશ યથાવત્ છે. સાંજના 6 વાગ્યે પણ હજારોની સંખ્યામાં યુવાનો ગાંધીનગરમાં એકઠા થયા છે. જો કે સવારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. અને યુવાનોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જે બાદ ગૃહપ્રધાનને નિવેદન આપ્યું હતું. અને પરીક્ષા રદ નહીં થાય તેવી જાણકારી આપી હતી. જે બાદ યુવાનોનો […]
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વિરોધ અને રાજ્યભરના યુવાનોનો આક્રોશ યથાવત્ છે. સાંજના 6 વાગ્યે પણ હજારોની સંખ્યામાં યુવાનો ગાંધીનગરમાં એકઠા થયા છે. જો કે સવારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. અને યુવાનોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જે બાદ ગૃહપ્રધાનને નિવેદન આપ્યું હતું. અને પરીક્ષા રદ નહીં થાય તેવી જાણકારી આપી હતી. જે બાદ યુવાનોનો આક્રોશ વધ્યો છે. જો કે, આ વિરોધ દરમિયાન કેટલાક યુવાનોની તબિયત પણ ખરાબ થઈ હતી.
આ પણ વાંચોઃ સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેકટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીય સહિત 23 લોકોની મોત
આક્રોશમાં યુવાનો કહી રહ્યા છે કે, જે સરકાર અમને નોકરી નથી આપતી તે સરકાર ન્યાય પણ કેમ આપશે. યુવાનોની માગણી છે કે, આ પરીક્ષા રદ થવી જોઈએ. જેને લઈને આજ સવારથી ગાંધીનગરના એક-એક રસ્તા પર વિરોધ કરી રહ્યા હતા. આમ છતાં સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો