JNUમાં હિંસા બાદ અમદાવાદમાં પણ ઘર્ષણ, નિખીલ સવાણી ગંભીર રીતે ઘાયલ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના પડઘાં ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે હિંસક મારામારી થઈ છે. ABVPના કાર્યાલય પાસે જ બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. અને બંને પક્ષો વચ્ચે લાઠી, પાઈપ અને પથ્થરથી મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખીલ સવાણી સહિત કેટલાક કાર્યકરો ઘાયલ […]
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાના પડઘાં ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે હિંસક મારામારી થઈ છે. ABVPના કાર્યાલય પાસે જ બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. અને બંને પક્ષો વચ્ચે લાઠી, પાઈપ અને પથ્થરથી મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખીલ સવાણી સહિત કેટલાક કાર્યકરો ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચોઃ દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં સવારે NSUIના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે NSUIના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ NSUIના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને લાગ જોઈને ચોતરફથી ઘેરીને બરાબરના ફટકાર્યા હતા. બીજી તરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે.