અમદાવાદ: IIM પાસે પરપ્રાંતિયોનો હોબાળો, પોલીસે આશરે 60 જેટલા લોકોની કરી અટકાયત
અમદાવાદમાં પરપ્રાંતિયો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. અમદાવાદમાં IIM પાસે પરપ્રાંતિયોએ પથ્થરમારો કરીને હોબાળો મચાવ્યો છે. ત્યારે આ ઘટના પર પોલીસે હવે કાબૂ મેળવી લીધો છે. હોબાળા બાદ પોલીસે આશરે 60-70 જેટલા લોકોની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસે પરપ્રાંતિયોને આશ્વાસન આપ્યું છે કે તેઓને પરત વતન મોકલવામાં આવશે, જમવાની વ્યવસ્થા કરી આપવા […]
અમદાવાદમાં પરપ્રાંતિયો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના બની છે. અમદાવાદમાં IIM પાસે પરપ્રાંતિયોએ પથ્થરમારો કરીને હોબાળો મચાવ્યો છે. ત્યારે આ ઘટના પર પોલીસે હવે કાબૂ મેળવી લીધો છે. હોબાળા બાદ પોલીસે આશરે 60-70 જેટલા લોકોની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસે પરપ્રાંતિયોને આશ્વાસન આપ્યું છે કે તેઓને પરત વતન મોકલવામાં આવશે, જમવાની વ્યવસ્થા કરી આપવા માટે ખાતરી પણ આપી છે. પરપ્રાંતિયોને ધીરજ રાખવા માટે પોલીસે અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો