શ્રેય હોસ્પિટલની ઘટના અંગે મુખ્યપ્રધાને તાત્કાલિક તપાસના આપ્યા આદેશ, રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી કરશે તપાસ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત થયા તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે ઘટના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસ કરવા અને ત્રણ દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો છે તથા જવાબદાર […]
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત થયા તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે ઘટના અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસ કરવા અને ત્રણ દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો છે તથા જવાબદાર લોકોને શોધી કાઢવા માટે સુચના આપી છે. તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી સંગીતાસિંઘ અને મુકેશ પુરી તપાસ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો