અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે RAF અને CRPFને કરાશે તૈનાત, જુઓ DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કમિશનર વિજય નેહરા પણ ક્વોરન્ટાઈન થયા છે ત્યારે શહેરની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવી છે. રેડ ઝોન વિસ્તારમાં કેસ ના આવે અને લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે હવે RAF ઉતારવામાં આવશે. CRPFની કુલ 8 કંપનીઓ કન્ટેનમેન્ટ વિસ્તારમાં તૈનાત રહેશે. રેડ ઝોનમાં આરએએફના જવાનોને ઉતારવામાં આવશે. […]
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કમિશનર વિજય નેહરા પણ ક્વોરન્ટાઈન થયા છે ત્યારે શહેરની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવી છે. રેડ ઝોન વિસ્તારમાં કેસ ના આવે અને લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે હવે RAF ઉતારવામાં આવશે. CRPFની કુલ 8 કંપનીઓ કન્ટેનમેન્ટ વિસ્તારમાં તૈનાત રહેશે. રેડ ઝોનમાં આરએએફના જવાનોને ઉતારવામાં આવશે. SRP તો રેડ ઝોન વિસ્તારમાં તૈનાત જ છે પણ હવે CRPF અને RAFની મદદ લેવામાં આવશે. અમદાવાદમાં ગુરુદ્વારા જે લોકો ભેગા થયા હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી માહિતી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો