અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં, જગન્નાથ મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે
અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નીકળશે નહીં. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળાઆરતી કરવામાં આવી. મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથ મંદિરની બહાર નહીં નીકળે, મંદિરમાં રથને […]
અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળશે નહીં. ગુજરાત હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નીકળશે નહીં. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે મંદિરમાં મંગળાઆરતી કરવામાં આવી. મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથ મંદિરની બહાર નહીં નીકળે, મંદિરમાં રથને દર્શન માટે રખાશે. જગન્નાથ મંદિરમાં 10થી 15 ભક્તો વારાફરતી સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]