VIDEO: અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મામલે નવા ખુલાસા
અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મુદ્દે એફએસએલની ટીમ ફરી વાર ઘટના સ્થળે તપાસ કરી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી નમુના લઈને તપાસ અર્થે મોકલ્યા છે. જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય. જોકે એફએસએલની કાર્યવાહી બાદ પોલીસે ઈ-બ્લોકને સાફ કરવાની મંજૂરી આપતા સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી પૂર્ણ થતા હજુ 5 દિવસ […]
અમદાવાદના ગોતાના ગણશે જિનેસીસમાં આગ લાગવાની ઘટના મુદ્દે એફએસએલની ટીમ ફરી વાર ઘટના સ્થળે તપાસ કરી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી નમુના લઈને તપાસ અર્થે મોકલ્યા છે. જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય. જોકે એફએસએલની કાર્યવાહી બાદ પોલીસે ઈ-બ્લોકને સાફ કરવાની મંજૂરી આપતા સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી પૂર્ણ થતા હજુ 5 દિવસ જેટલો સમય લાગશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા બે કોન્સ્ટેબલમાંથી એક કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસે હવે પાંચમા અને છઠ્ઠા માળ સિવાય અન્ય માળના લોકોને રહેવા માટેની પણ મંજૂરી આપી દીધી છે. કારણ કે આગ લાગવાની ઘટના બાદ ઈ બ્લોકમાં રહેતા લોકો પોતાનો સામાન લઈને સંબંધીઓના ઘરે રહેવા જતા રહ્યા હતા. હવે જીઈબી, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જીઈબી ઘર નંબર 503-504 અને 506માં તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપશે. ત્યારે ફ્લેટના રહીશો દ્વારા સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે તપાસ કરાવાય તેવી માગ કરાઈ છે.
ગઈકાલે ફ્લેટમાં રહેતા રાજુ મિશ્રા નામના વ્યક્તિના ઘરમાં આગ લાગી હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાતું હતું. રાજુ મિશ્રા કે જેઓ ફાયર સેફ્ટીને લગતું કામ કરે છે તેમના ઘરમાં સિલિન્ડર ફાટવાથી આગ લાગી હોવાનું કહેવાતું હતું. જોકે તેમના ઘરમાં તપાસ કરાતા સિલિન્ડરમાં કોઈ બ્લાસ્ટ થયો ન હોવાનું સામે આવ્યું છે. રાજુ મિશ્રાના જણાવ્યા મુજબ છઠ્ઠા માળે લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરી હતી. જોકે આગનું કારણ તો એફએસએલના રિપોર્ટ બાદ જ સામે આવશે.
[yop_poll id=”1″]