અમદાવાદ: LG હોસ્પિટલના 50થી વધુ ડૉક્ટર્સને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા
અમદાવાદમાં એટલી હદે સ્થિતિ ખરાબ થઇ રહી છે કે ડોક્ટર્સ અને નર્સ પણ હવે કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. વાત કરીએ એલ.જી હોસ્પિટલની તો આ હોસ્પિટલમાં 50થી વધુ ડૉક્ટર્સને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અહીં ડોક્ટર્સ અને નર્સ મળી કુલ 15 લોકોને કોરોના થયો છે. તેથી તેમના સંપર્કમાં આવતા ડૉક્ટર્સને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. Web Stories […]
અમદાવાદમાં એટલી હદે સ્થિતિ ખરાબ થઇ રહી છે કે ડોક્ટર્સ અને નર્સ પણ હવે કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. વાત કરીએ એલ.જી હોસ્પિટલની તો આ હોસ્પિટલમાં 50થી વધુ ડૉક્ટર્સને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અહીં ડોક્ટર્સ અને નર્સ મળી કુલ 15 લોકોને કોરોના થયો છે. તેથી તેમના સંપર્કમાં આવતા ડૉક્ટર્સને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેના કારણે હાલ હોસ્પિટલમાં સ્ટાફની અછત સર્જાઇ છે. ત્યારે બીજી તરફ ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના ત્રણ ડૉક્ટર્સ સહિત પાંચ લોકો કોરોનામાં સપડાયા છે. જેથી અહીં પણ તમામ સ્ટાફને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો છે. હવે આ અર્બન હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ બંધ કરવાનો વારો આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો