અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે
અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે […]
અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે 1997માં ગુજરાતમાં બાળ મૃત્યુદર 62 હતો, જે તબક્કાવાર ઘટીને 25એ પહોંચ્યો છે.
નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં કહ્યું કે હાલ રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મ લે છે. સરકારનો પ્રયાસ છે કે, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો. તેથી સરકાર નવી હોસ્પિટલો ખોલી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બાળ રોગ નિષ્ણાતની તંગી હોવા છતાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કુપોષણ પાછળ લોકોની રહેણી-કહેણી પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાને જવાબદાર ગણાવી. નીતિન પટેલે રાજકોટ અને અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં બાળ મૃત્યુદર પણ થોડો વધ્યો હોવાનું પણ સ્વીકાર્યું.