ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 735 નવા પોઝિટિવ કેસ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 735 નવા દર્દી નોંંધાયા છે. આ સાથે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા પછી 24 કલાકમાં 423 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વાઈરસના લીધે 17 લોકોના મોત નીપજ્યાં છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 735 નવા દર્દી નોંંધાયા છે. આ સાથે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા પછી 24 કલાકમાં 423 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વાઈરસના લીધે 17 લોકોના મોત નીપજ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે 8573 દર્દી
કોરોના વાઈરસના કેસમાં પ્રતિદિવસ ગુજરાતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં જે લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચી રહ્યાં છે તેના કરતાં વધુ કોરોના વાઈરસના કેસ પ્રતિદિવસ નોંધાઈ રહ્યાં છે. આમ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકના ગુજરાત સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ 8573 લોકો કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. આ એક્ટિવ કેસમાં 69 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 8504 દર્દીની તબિયત સ્થિર છે.
735 new coronavirus cases reported in #Gujarat in last 24 hours. #Surat: 241#Ahmedabad: 183#COVIDー19 #COVID #coronavirus #Corona #GujaratCoronaUpdate #TV9News pic.twitter.com/R5hdB2RPwc
— tv9gujarati (@tv9gujarati) July 6, 2020
સુરત જિલ્લામાં નોંધાયા 241 નવા પોઝિટિવ કેસ
અમદાવાદ નહીં પણ સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નવા 241 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 183 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કાબૂમાં લેવા માટે તંત્ર હરકતમાં આવ્યું અને ફરીથી આંશિક પ્રતિબંધ મુકવામાં આવી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો