ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત
ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો […]
ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો વહિવટી તંત્ર દ્વારા સાવચેતી નહી દાખવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ સોમનાથ, વેરાવળમાં વધી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.