નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી યોજનાની પાઈપલાઈનમાં સમારકામથી, પંચમહાલના કાલોલના 60 ગામ 5 દિવસથી પાણી વિહોણા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના 60 ગામને છેલ્લા પાંચ દિવસથી નથી મળ્યુ પીવાનું પાણી. નર્મદાની મુખ્ય નહેરની પાઈપલાઈનમાં જરૂરી સમારકામ ચાલી રહ્યું હોવાથી કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં નથી પહોચ્યું પાણી. પીવાનું પાણી સમયસર નહી મળવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની હેરાનગતી વધી છે. તો બીજીબાજુ વરસાદ ખેચાતા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાઓ પણ પૂરતા પાણી પૂરવઠા વિના મુશ્કેલીમાં મુકાયા […]
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના 60 ગામને છેલ્લા પાંચ દિવસથી નથી મળ્યુ પીવાનું પાણી. નર્મદાની મુખ્ય નહેરની પાઈપલાઈનમાં જરૂરી સમારકામ ચાલી રહ્યું હોવાથી કાલોલના ગ્રામ્ય વિસ્તારમાં નથી પહોચ્યું પાણી. પીવાનું પાણી સમયસર નહી મળવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની હેરાનગતી વધી છે. તો બીજીબાજુ વરસાદ ખેચાતા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાઓ પણ પૂરતા પાણી પૂરવઠા વિના મુશ્કેલીમાં મુકાયા છે.