ઝાયડસ કેડિલાનો દાવો : કોરોનાની સારવારમાં અસરકારક છે દવા વિરાફીન, જાણો કેટલાં રૂપિયા મળશે એક ડોઝ
દેશના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ 23 એપ્રિલ 2021 ના રોજ કોરોના મેડિસિન Virafin ના સિંગલ યુઝ થેરાપી તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.ઝાયડસ કેડિલાએ વિરાફિનના એક ડોઝની કિંમત 11,995 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ વિરાફિનની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે વીરાફિનનો ઉપયોગ કોરોનાના સામાન્ય અને મધ્યમ કેસોમાં થઈ શકે છે.
દેશમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસ આવી રહ્યા છે . આ દરમ્યાન ફાર્મા કંપનીઓ અને વિશ્વભરના નિષ્ણાતો તેને નિયંત્રિત કરવા માટે નવી નવી દવાઓની શોધ અને સંશોધન કરી રહ્યા છે. જ્યારે અમુક ફાર્મા કંપનીઑ કોરોના વાયરસની રસી પર હજી કામ કરી રહી છે. આ જ શ્રેણીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપની ઝાયડસ કેડિલાની કોરોના દવા Virafin ને કોરોનાના કેસોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે ઝાયડસ કેડિલાએ આ દવાની કિંમત નક્કી કરી છે. ફાર્મા કંપનીનો દાવો છે કે તેની કોવિડ-19 દવા સારવાર દરમિયાન ઓક્સિજન સપોર્ટની જરૂરિયાતને ઘટાડે છે.
ડીજીસીઆઈએ સિંગલ-યુઝ થેરેપીના ઉપયોગને મંજૂરી આપી
દેશના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ 23 એપ્રિલ 2021 ના રોજ કોરોના મેડિસિન Virafin ના સિંગલ યુઝ થેરાપી તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઝાયડસ કેડિલાએ વિરાફિનના એક ડોઝની કિંમત 11,995 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ વિરાફિનની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે વીરાફિનનો ઉપયોગ કોરોનાના સામાન્ય અને મધ્યમ કેસોમાં થઈ શકે છે. જેમાં જ્યારે કોરોના ગ્રસ્ત વ્યક્તિમાં વાયરલ લોડ મોડરેટ અને હાઇની વચ્ચે હોય છે ત્યારે ઓક્સિજન સપોર્ટની જરૂર ઝડપથી વધી જાય છે. કંપનીએ દાવો કર્યો છે કે વિરાફિનના ઉપયોગથી દર્દીમાં વાયરલ લોડ ઓછો થશે અને ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત ઘટશે
RTPCRપરીક્ષણમાં કોરોના દર્દીઓમાં 91.15 ટકા નેગેટિવ
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે જો Virafin ને યોગ્ય સમયે આપવામાં આવે તો તે વાયરલ લોડમાં તીવ્ર ઘટાડો કરે છે. આ દવા એવા સમયે આવી છે જ્યારે લોકો તેની જરૂરિયાત અનુભવે છે. અમે કોરોના સામેની લડતમાં લોકોને આ દવા આપવાનું ચાલુ રાખીશું. ઝાયડસ કેડીલાએ દાવો કર્યો છે કે PegIFN સાથે સારવારના 7 મા દિવસે RTPCRપરીક્ષણમાં કોરોના દર્દીઓમાં 91.15 ટકા નકારાત્મક હતા. કંપનીએ કહ્યું કે ત્રીજા તબક્કાના પરીક્ષણમાં મધ્યમ વાયરલ લોડવાળા મોટાભાગના દર્દીઓ ડોઝ આપ્યાના 7 મા દિવસે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. આ પરીક્ષણના પરિણામોના આધારે ડીસીજીઆઈએ તેના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે.