પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 07, 2021 | 10:54 PM

West Bengal માં વિધાનસભા ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસાઓએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસામાં 16 જેટલા લોકોના મૃત્યુ થયા છે. હજી પણ આ હિંસા અટકવાનું નામ નથી લઇ રહી અને હવે હિંસાખોરો મહિલાઓને નિશાન બનાવવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ શુક્રવારે કહ્યું હતું કે West Bengal માં હિંસા બાદ સ્થિતિનું નિરીક્ષણ કરવા પશ્ચિમ બંગાળ પહોંચેલી આયોગની એક ટીમને જાણવા મળ્યું છે કે ઘણી મહિલાઓને બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal)મળી રહી છે અને તેઓ તેમની કિશોરીઓને રાજ્યની બહાર મોકલવા ઈચ્છી રહી છે. પોલીસ તેમની સુરક્ષા માટે અસરકારક પગલા ભરી રહી નથી. રેખા શર્માએ એક નિવેદનમાં એમ પણ કહ્યું કે પીડિતા ડરના કારણે પોતાની ફરિયાદો નોંધાવવામાં પણ અસમર્થ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘર છોડી આશ્રયગૃહમાં રહેવા મજબુર બની મહિલાઓ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, ” West Bengal માં આયોગની ટીમે ઘણી પીડીતાઓ વિશે જાણકારી મેળવી છે કે જેઓ હિંસાના કારણે પોતાનું ઘર છોડીને આશ્રયસ્થાનમાં જ રોકાવ મજબુર બની છે.” ટીમને જાણ કરવામાં આવી હતી કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને તેમના મકાનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં મહિલાઓ રહે છે ત્યાં આશ્રયસ્થાનોમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો અને કહ્યું હતું કે તેમને યોગ્ય તબીબી સારવાર અને ખોરાક આપવામાં આવતો નથી.

સરકારને ત્રણ દિવસમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ West Bengal માં હિંસા અંગેની એક PIL ની નોંધ લેતા કલકત્તા હાઈકોર્ટની પાંચ જજોની ખંડપીઠે રાજ્ય સરકારને ત્રણ દિવસની અંદર વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પછીની હિંસાને કારણે બંગાળમાં લોકોનું જીવન અને સ્વતંત્રતા જોખમમાં છે. ખંડપીઠે રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાને સોગંદનામામાં હિંસા ફાટી નીકળેલા વિસ્તારો અને તેમના નિયંત્રણ અથવા અટકાવવાના પગલાઓનો ઉલ્લેખ કરવા નિર્દેશ આપ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">