શું મમતા સરકાર પડી જશે? શુભેન્દુ અધિકારીએ આપ્યા સંકેત, કહ્યું 2024 સુધીમાં ઝારખંડ, રાજસ્થાન અને બંગાળની હાલત મહારાષ્ટ્ર જેવી થશે

પશ્ચિમ બંગાળ (West Bengal)ના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સંકેત આપ્યો કે 2024 સુધીમાં, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર મહારાષ્ટ્ર(Maharashtra)ની જેમ જ ભાવિનો સામનો કરશે.

શું મમતા સરકાર પડી જશે? શુભેન્દુ અધિકારીએ આપ્યા સંકેત, કહ્યું 2024 સુધીમાં ઝારખંડ, રાજસ્થાન અને બંગાળની હાલત મહારાષ્ટ્ર જેવી થશે
File photo: Mamata Banerjee and Shubhendu Adhikari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:56 AM

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાધારી શિવસેના(Shivsena)ના અનેક ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્યમાં રાજકીય સંકટ (Maharashtra Political Crisis) ઊભું થયું છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ(West Bengal)ના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા, શુભેન્દુ અધિકારી(Suvendu Adhikari) એ સોમવારે સંકેત આપ્યો છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર 2024 સુધીમાં સમાન પરિસ્થિતિનો સામનો કરશે. અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસી સરકાર તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પડી જશે. 

શુભેન્દુ અધિકારીએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર પછી બિન-ભાજપ શાસિત રાજ્યો ઝારખંડ અને રાજસ્થાન આવે છે. જે બાદ બંગાળનો નંબર આવશે. શુભેન્દુ અધિકારીના આ નિવેદન પર ટીએમસીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં હારથી નિરાશ થયેલ ભાજપ કેમ્પ સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. સોમવારે શુભેંદુ અધિકારી કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સ્થિતિ પહેલા ઉકેલવી જોઈએ. આ પછી ઝારખંડ અને રાજસ્થાનનો વારો છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ આવશે. તૃણમૂલ કોંગ્રેસ માટે પણ આવી જ સ્થિતિ રહેશે. 2026 સુધી સરકાર ચાલી શકશે નહીં. આ સરકાર 2024 સુધીમાં નીકળી જશે. 

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

દેશની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે

શુભેન્દુ અધિકારીના નિવેદન પર કટાક્ષ કરતા તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારમાંથી તે હજુ સાજુ થઈ શક્યું નથી. ભાજપ સત્તા મેળવવા માટે કોઈપણ હદે જવા તૈયાર જણાય છે. જોરદાર પ્રચાર છતાં ભાજપને ચૂંટણીમાં કારમી હાર મળી. હવે તેઓ કોઈપણ રીતે સત્તા મેળવવા માંગે છે. તેમના નિવેદનો ભગવા છાવણીની નિરાશા દર્શાવે છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સુખેન્દુ શેખર રાયે પણ કહ્યું કે શુભેન્દુ અધિકારીના નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે મહારાષ્ટ્રમાં આ સંકટ સર્જ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ દેશના દરેક વિપક્ષ શાસિત રાજ્યમાં પાછળ છે. દેશની જનતા તેને જડબાતોડ જવાબ આપશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">