એવું તે શું થયું કે આ મતદાન મથક પર ફરીથી થશે મતદાન!
18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. તેમાં ઉત્તરપ્રદેશના નગીના, અમરોહા, અલીગઢ, મથુરા અને આગરામાં મતદાન થયું હતું. આ તબક્કામાં મુખ્ય ઉમેદવારો અભિનેત્રી હેમા માલિની, રાજ બબ્બર, કેન્દ્રીય મંત્રી એસ.પી.વઘેલ અને દાનિશ અલી હતા. ચૂંટણીપંચે આગરાના બૂથ નંબર 455 પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ બૂથ પર ફરજ પર રહેલા અધિકારી દ્વારા […]
18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. તેમાં ઉત્તરપ્રદેશના નગીના, અમરોહા, અલીગઢ, મથુરા અને આગરામાં મતદાન થયું હતું.
આ તબક્કામાં મુખ્ય ઉમેદવારો અભિનેત્રી હેમા માલિની, રાજ બબ્બર, કેન્દ્રીય મંત્રી એસ.પી.વઘેલ અને દાનિશ અલી હતા. ચૂંટણીપંચે આગરાના બૂથ નંબર 455 પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ બૂથ પર ફરજ પર રહેલા અધિકારી દ્વારા મતદાન પૂર્ણ થયા પછી ખોટુ બટન દબાઈ જવાને લીધે 140 જેટલા મત ડિલીટ થઈ ગયા હતા. તેને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે 25 એપ્રિલના રોજ ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે.
બીજા તબક્કાના મતદાન દરમિયાન આ બૂથ પરની ઘણી ફરિયાદો મળી હતી. ચૂંટણી પંચે હવે તે બૂથ પર ફરી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. ઘણી રાજકીય પાર્ટીઓ પણ ફરી વખત મતદાન થાય તેવી માંગ કરી રહ્યાં હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]