શા માટે મનાવવામાં આવે છે આક્રમકતાનો ભોગ બનેલા બાળકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ, જાણો ઈતિહાસ

જો કે સંયુક્ત રાષ્ટ્ર બાળકોનું કુપોષણ, જન્મ સમયે મૃત્યુ વગેરે જેવી ઘણી સમસ્યાઓ માટે કામ કરી રહ્યું છે. પરંતુ માસૂમ બાળકો કે આક્રમણનો ભોગ બનેલા બાળકો પરના અત્યાચારનો મુદ્દો રાજકીય ઘોંઘાટમાં કંઈક અંશે દબાય જાય છે.

શા માટે મનાવવામાં આવે છે આક્રમકતાનો ભોગ બનેલા બાળકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ, જાણો ઈતિહાસ
International Day Of Innocent Children Victims Of Aggression
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 7:00 AM

સામાન્ય રીતે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના દિવસો કાં તો સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય છે અથવા નબળા વર્ગો માટે હોય છે. કેટલાક દિવસો બાળકો માટે પણ હોય છે, જેમાંથી એક આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Innocent Children Victims of Aggression) છે. આ દિવસ શરૂઆતમાં એવા બાળકો માટે ઉજવવામાં આવતો હતો કે જેઓ યુદ્ધની પરિસ્થિતિનો ભોગ બન્યા હોય, પરંતુ પાછળથી તેના ઉદ્દેશ્યોમાં વિશ્વભરમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહારથી પીડિત બાળકોને રક્ષણ પૂરું પાડવાના પ્રયાસોનો સમાવેશ કરવામાં આવ્યો.

યુદ્ધ પીડિતો માટે શરૂઆત

આ દિવસને બાળકના અધિકારોના રક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવની પુષ્ટિ કરવાનો દિવસ પણ માનવામાં આવે છે. પરંતુ તેની શરૂઆત 19 ઓગસ્ટ 1982ના રોજ થઈ, જ્યારે પેલેસ્ટાઈન અને લેબનોનના બાળકો ઈઝરાયેલની હિંસામાં યુદ્ધ હિંસાનો ભોગ બન્યા અને પેલેસ્ટાઈનએ સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પગલાં લેવા વિનંતી કરી. આ હિંસાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 જૂનને આક્રમકતાના નિર્દોષ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો.

શા માટે માત્ર 4 જૂન

4 જૂન, 1982ના રોજ ઈઝરાયેલે દક્ષિણ લેબનોન પર હુમલો કરવાની જાહેરાત કરી. આ જાહેરાત પછી હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લેબનીઝ અને પેલેસ્ટિનિયન બાળકો માર્યા ગયા અથવા ઘાયલ થયા અથવા બેઘર થઈ ગયા. યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારના સશસ્ત્ર સંઘર્ષ, સૌથી ખરાબ હાલત બાળકોની છે. તેઓ સામાન્ય શિક્ષણથી વંચિત છે એટલું જ નહીં, તેઓ કુપોષણનો શિકાર પણ બને છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બાળકો પર સૌથી ખરાબ આડઅસર

તાજેતરના દાયકાઓમાં જ્યાં વિશ્વમાં વિવિધ સ્થળોએ આતંકવાદી ઘટનાઓ બને છે, ત્યાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે. તેઓ માનસિક અને શારીરિક હિંસાનો પણ શિકાર બને છે, જેના વિશે જાણ પણ નથી થતી. જ્યાં પણ કોઈપણ પ્રકારનો નાનો સશસ્ત્ર સંઘર્ષ શરૂ થાય છે, ત્યાં બાળકો સૌથી નબળી કડી છે બાળકો આમા સૌથી વધુ અસરગ્રસ્ત છે.

આ છ મોટા ઉલ્લંઘનો

યુનાઈટેડ નેશન્સ યુદ્ધમાં બાળકોની ભરતી અને ઉપયોગ, તેમની હત્યા, જાતીય હુમલો અને હિંસા, અપહરણ, શાળાઓ અને હોસ્પિટલો પરના હુમલાઓ અને બાળકોને માનવ અધિકારોથી વંચિત રાખવાને છ સૌથી ગંભીર બાળ અધિકારોના ઉલ્લંઘન તરીકે માને છે. તાજેતરના વર્ષોમાં બાળકો પરના અત્યાચારોમાં નોંધપાત્ર વધારો થયો છે. સંઘર્ષથી પ્રભાવિત દેશોમાં લગભગ 250 મિલિયન બાળકોને રક્ષણની જરૂર છે.

અહેવાલે 1997માં ધ્યાન દોર્યું હતું

1982માં આ દિવસની જાહેરાત પછી 1997માં ગ્રાસા મેસેલ અહેવાલે બાળકો પર સશસ્ત્ર સંઘર્ષોની ઘાતક અસરો તરફ વિશ્વનું ધ્યાન દોર્યું. આ પછી સંયુક્ત રાષ્ટ્ર 3 એ પ્રખ્યાત ઠરાવ 51/77 અપનાવ્યો જે બાળકોના અધિકારો સાથે સંબંધિત હતો. સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકોની સુરક્ષામાં સુધારો કરવાનો આ એક મોટો પ્રયાસ હતો.

જો કે સંયુક્ત રાષ્ટ્ર બાળકોનું કુપોષણ, જન્મ સમયે મૃત્યુ વગેરે જેવી ઘણી સમસ્યાઓ માટે કામ કરી રહ્યું છે. પરંતુ માસૂમ બાળકો કે આક્રમણનો ભોગ બનેલા બાળકો પરના અત્યાચારનો મુદ્દો રાજકીય ઘોંઘાટમાં કંઈક અંશે દબાય જાય છે. બાળકોની આવી હાલત માત્ર યુદ્ધની પરિસ્થિતિઓમાં જ જોવા મળે છે, પરંતુ ઈતિહાસમાં જ્યારે પણ માનવીય સંકટ આવ્યું છે, ત્યારે સૌથી ખરાબ હાલત પહેલા બાળકોની થઈ છે. કોરોનાના સમયગાળા દરમિયાન બાળકોની ચિંતાજનક સ્થિતિ પર ક્યારે ધ્યાન આપવામાં આવે છે તે જોવાનું રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">