જામા મસ્જિદ કેમ બંધ છે ? ઓવૈસીના સવાલનો શ્રીનગર પોલીસે આ જવાબ આપીને, કરી બોલતી બંધ

1989-90માં આતંકવાદીઓ દ્વારા ધમકીઓ અને હુમલાઓને કારણે ઘાટીમાં થિયેટર માલિકોએ તેમના સિનેમા હોલ બંધ કરી દીધા હતા. 1980ના દાયકામાં કાશ્મીરમાં એક ડઝનથી વધુ સિનેમા હોલ કાર્યરત હતા.

જામા મસ્જિદ કેમ બંધ છે ? ઓવૈસીના સવાલનો શ્રીનગર પોલીસે આ જવાબ આપીને, કરી બોલતી બંધ
AIMIM Chief Asaduddin Owaisi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 8:49 AM

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ મંગળવારે શ્રીનગરના (Srinagar) સોનવર વિસ્તારમાં ખીણપ્રદેશની પ્રથમ મલ્ટિપ્લેક્સનું (multiplex) ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ કાશ્મીરમાં મોટા પડદા પર ફિલ્મ જોવા માટે દર્શકોની ત્રણ દાયકાની રાહનો અંત આવ્યો. પરંતુ આ પછી AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સવાલો ઉઠાવ્યા છે. ઓવૈસીએ થિયેટરની કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે ઘાટીમાં થિયેટર ખોલવામાં આવ્યા, પરંતુ જામા મસ્જિદ દર શુક્રવારે બંધ રહે છે. તેમના આ ટ્વિટ પર શ્રીનગર પોલીસે તેમને જબરદસ્ત જવાબ આપ્યો હતો.

ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યું કે, મનોજ સિન્હા સર, તમે શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ ખોલ્યા છે, પરંતુ શ્રીનગરની જામા મસ્જિદ દર શુક્રવારે કેમ બંધ રહે છે. ઓછામાં ઓછું બપોરના સમયે તેને બંધ ન કરો. ઓવૈસી પહેલા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પણ જામા મસ્જિદ બંધ કરવા અંગે નિવેદન આપ્યું છે. જો કે, જમ્મુ-કાશ્મીર પોલીસે ઓવૈસીની આ વાતનો સખત ઈનકાર કર્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

J&K પોલીસે એક ટ્વિટમાં લખ્યું છે કે જામા મસ્જિદ સંપૂર્ણ રીતે ખુલ્લી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે કોવિડ પછીના આતંકવાદી હુમલા જેવા ત્રણ પ્રસંગોએ જ શુક્રવારે બપોરની નમાઝ માટે મસ્જિદ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. મસ્જિદના જવાબદાર લોકોએ મસ્જિદની અંદર બનેલી કોઈપણ ઘટનાની જવાબદારી લેવાનો ઈન્કાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કાશ્મીર ખીણમાં ત્રણ દાયકા બાદ સિનેમા હોલ ખુલ્યા

કાશ્મીર ખીણમાં ત્રણ દાયકા પછી સિનેમા હોલ ખુલ્યા છે. મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યા પછી એક ટ્વિટમાં સિંહાએ કહ્યું, “કાશ્મીર ખીણના લોકો, (ઉદ્યોગપતિઓ) વિજય ધર અને INOX જૂથને અભિનંદન. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં મોટી સામાજિક-આર્થિક ક્રાંતિ થઈ રહી છે. આ લોકોના સ્વપ્ન, આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓનુ નવું પ્રભાત પ્રતિબિંબ થાય છે.

પ્રથમ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હતી

ઓપનિંગ સેરેમની બાદ મલ્ટિપ્લેક્સ મેનેજમેન્ટે પહેલા દિવસે અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ મલ્ટિપ્લેક્સમાં 30 સપ્ટેમ્બરથી અભિનેતા રિતિક રોશન અને સૈફ અલી ખાનની વિક્રમ વેધા નિયમિતપણે પ્રદર્શિત થશે. કાશ્મીરના આ પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">